Tuesday, 4 February 2014

ગોરી લાડીને ગુજ્જુ વરઃ સાત સમંદર પાર કરી આપ્યાં સાત જન્મના કોલ

ગોરી લાડીને ગુજ્જુ વરઃ સાત સમંદર પાર કરી આપ્યાં સાત જન્મના કોલ ૭ સમંદર પારથી આવી ૭ જન્મના કોલ આપ્યાં
- ફેસબુકના માધ્યમથી થયેલો પરિચય છેવટે સાત જન્મના બંધને બંધાયો


ફેસબુકના માધ્યમથી થયેલો પરિચય છેવટે સાત જન્મના બંધને બંધાયો હતો. અમેરિકાની જેનીફર અને બોરસદનો મયંક લખલાણી રવિવારે લગ્નગ્રંથિથી જોડાયા હતા. મયંકના પિતાના મિત્ર ભાવેશ અરુણભાઇ જોશીએ જેનીફરનું કન્યાદાન કર્યુ હતું.બોરસદના પાર્શ્વનાથ કોમ્પલેક્ષના કોમન પ્લોટમાં યોજાયેલા લગ્નપ્રસંગે મયંકના સગાંસંબંધી સૌરાષ્ટ્રથી આવી પહોંચ્યા હતા.

એવું કહેવાય છે કે 'સગપણ તો સ્વર્ગમાં જ નક્કી થાય છે, ધરતી પર તો તેની ઉજવણી કરાઈ છે.' એનઆરઆઇ પંથક તરીકે જાણીતા ચરોતરમાંથી યુવતીઓ લગ્ન કરીને અમેરિકા, લંડન કે ઓસ્ટ્રેલિયા જાય એ વાત સામાન્ય બની ગઇ છે, પરંતુ અમેરિકાની ગૌરી ચરોતરના યુવક સાથે લગ્ન કરવા ગુજરાતમાં આવી પહોંચી હોય તેવી આ જ્વલ્લેજ જોવા મળતી ઘટના છે. અમેરિકાની ર૮ વર્ષીય નર્સ જેનિફર સાત સમુદ્ધ પાર કરીને આણંદ જિલ્લાના બોરસદના કોલ સેન્ટરમાં નોકરી કરતાં મયંક લખલાણી સાથે રવિવારે સાત જન્મના બંધને બંધાયા હતાં. વિશિષ્ટ પ્રકારના આ લગ્નને લઇને બોરસદમાં ખુશીનો માહોલ છવાયો હતો. ફેસબુકના માધ્યમથી પરિચય બાદ મિત્રતામાં પાંગરેલો પ્રેમ હવે એકબીજાને જીવનસાથી બનાવ્યા હતાં.

સાત સમુદ્ધ પાર અમેરિકાની યુવતી સાથે પ્રેમનાં પુષ્પો કેવી રીતે ખીલી ઊઠ્યાં તેનાં વિશે વાત કરતાં એકદમ રોમાંચક બની ગયેલા મયંક લખલાણીએ જણાવ્યું હતું કે 'વર્ષ ૨૦૧૨માં ૩જી નવેમ્બરે ફેસબુક પર જેનિફરને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જેનિફરે ૪થી નવેમ્બરે મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી. માત્ર દસ દિવસમાં ફેસબુક પર વિચારોની આપ-લેમાં એકબીજા એટલાં નજીક આવી ગયા કે ૨૧મી નવેમ્બરે જેનિફરે લગ્નના પ્રસ્તાવનો પણ સ્વીકાર કરી લીધો હતો.

કરાચીની જેલમાં ગુજરાતીનું મૃત્યુ, પાક. જેલમાં ભારતીય કેદીના મોતની વર્ષમાં ત્રીજી ઘટના

પાકિસ્તાન, કરાચીની લાંધી જેલમાં રાખવામાં આવેલા ગુજરાતી કેદી કિશોર ભગવાનભાઇની મંગળવારે સવારે શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના ઉના પંથકના કોબ ગામના નિવાસી એવા કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

કિશોરના મૃત્યુનું કારણ શું હશે, તેની રાહ જોવામાં આવી રહી છે. કિશોર માછીમારીનું કામ કરતો હતો. જાન્યુઆરી, 2013માં પાકિસ્તાનના એક્સક્લુસિવ ઇકોનોમિ ઝોનમાં ડોક્યુમેન્ટ્સ વગર માછીમારી કરવા બદલ પાક. મરીન સિક્યોરિટીએ તેની ધરપકડ કરી હતી. ગત જાન્યુઆરી માસ દરમ્યાન પાક. મરીન સિક્યોરિટી  એજન્સીએ 11 બોટ સાથે દીવના 60 માછીમારોને પકડીને લાંધી જેલમાં મોકલી દીધા હતા, પરંતુ 20 માર્ચ 2013 નાં રોજ દીવના ટંડેલ રમેશ છગને પરિવારને એક પત્ર લખ્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે, તે અને ઊના તાલુકાના કોબ ગામનો યુવાન કિશોર ભગવાન મકવાણા પોરબંદરની કેદારેશ્વર (નં. 3530) નામની બોટમાં જાન્યુઆરી 2013 દરમિયાન પકડાયા હતા, પરંતુ બાદમાં કિશોર જેલમાંથી ભાગી ગયો હતો.
કરાચીની જેલમાં ગુજરાતીનું મૃત્યુ, પાક. જેલમાં ભારતીય કેદીના મોતની વર્ષમાં ત્રીજી ઘટનાકરાચીની જેલમાં ગુજરાતીનું મૃત્યુ, પાક. જેલમાં ભારતીય કેદીના મોતની વર્ષમાં ત્રીજી ઘટના

ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘરમાં ધમાધમ: મોદીના હસ્તે લાભાર્થીઓને ઘરની ફાળવણી પણ ઘર ક્યાં?..પરંતુ તેમને મકાન ક્યાં લાગ્યું છે, તેની માહિતી ક્યાંય આપી નથી.


ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘરમાં ધમાધમ: મોદીના હસ્તે લાભાર્થીઓને ઘરની ફાળવણી પણ ઘર ક્યાં? 
નરેન્દ્ર મોદીને ખૂશ કરાવવા કોર્પોરેશને કરાવ્યો ડ્રો, છતી થઈ હકિકત
ક્યા લાભાર્થીને ક્યું મકાન મળશે તેની કાર્યવાહી હાથ ધરશે


ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે(સોમવારે) અમદાવાદમાં આઇઆઇએમ બ્રિજ, ધોબીઘાટ, ગુજરીબજાર સહિત ચાર કાર્યક્રમોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં આવાસ યોજનાના ડ્રોનો પણ સમાવેશ થાય છે. ગઈ કાલે નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આવાસ યોજનાના કોમ્પ્યુટર ડ્રોમાં દસ હજાર લાભાર્થીઓની પસંદગી થઈ હતી. આ લાભાર્થીઓને મકાન મળી ગયું હોવાના મેસેજ પણ મળી ગયા હતા. જો કે, સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, તેમને કઈ સ્કીમમાં અને ક્યાં નંબરના મકાન ફાળવાયા છે. તેની કોઈ માહિતી અપાઇ નથી.

સૂત્રોએ પાસેથી તો એવું પણ જાણવા મળ્યું છે કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ખૂશ કરવા માટે કોર્પોરેશનના અધિકારીઓએ કાચું કાપ્યું છે. તેમણે હોમવર્ક કર્યા વગર જ મોદીના હસ્તે ડ્રો કરાવી દીધો હતો. કારણ કે, લાભાર્થીઓને મકાન મળ્યાના સમાચાર તો મળી ગયા છે. પરંતુ તેમને મકાન ક્યાં લાગ્યું છે, તેની માહિતી ક્યાંય આપી નથી.
આવાસ યોજના કેન્દ્રની અને લાભ ખાટે છે ભાજપ

મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ બનાવાયેલા આવાસોનો ભાજપ અને રાજ્ય સરકાર ખોટી રીતે લાભ ખાટી રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. હકીકતમાં સ્લમ વિસ્તારોમાં સુવિધાયુકત આવાસો બાંધવા માટે કેન્દ્ર સરકારે અમલમાં મૂકી હતી. જે યોજના હેઠળ કેન્દ્ર સરકારે ફાળવેલાં નાણાંમાંથી બન્યા હોવાનું જણાવતાં પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી નીશિત વ્યાસે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી મોદી ગરીબોમાં ભ્રામકતા ઊભી કરી રહ્યા છે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલા ૧૦,૦૧૧ આવાસનો મુખ્યમંત્રી મોદીએ કમ્પ્યુટર દ્વારા ડ્રો કર્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલા ૫૦૭૪ ઇડબલ્યુએસ તથા ૪૯૩૭ એલઆઇજી આવાસ ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસોનો નરેન્દ્ર મોદીએ કમ્પ્યૂટર દ્વારા ડ્રો કર્યો હતો. આ સાથે રિવરફ્રન્ટ પર નવનર્મિત ધોબીઘાટ અને ગુજરી બજારનું પણ તેમણે લોકાર્પણ કર્યું હતું.

Monday, 3 February 2014

અંબાણીના ઈશારે ભાજપ દ્વારા દિલ્હી સરકારના પતનના પ્રયાસો: આપ..અંબાણી-અદાણીને સાચવવા માંગે છે ભાજપ-કોંગ્રેસ.. દિલ્હીમાં વીજ વિતરણના નામે કરોડો રૂપિયાની લૂંટ ચલાવી રહી છે. તેમના લાઈસન્સ રદ્દ કરવાની દિલ્હી સરકારને ધમકી આપવામાં આવી એટલે આ સરકારનું પતન થાય તે માટેના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા. અદાણી-અંબાણી વગેરેના કરતૂતો સામે કોંગ્રેસ અને ભાજપે આંખ આડા કાન કર્યા છે.

અંબાણીના ઈશારે ભાજપ દ્વારા દિલ્હી સરકારના પતનના પ્રયાસો: આપ
સોમવારે સવારે આમ આદમી પાર્ટી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં આરોપ મુકવામાં આવ્યો હતો કે, દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારને અસ્થિર કરવા માટે ભાજપ તત્પર બન્યું છે. આ માટે ધારાસભ્ય મદનલાલને રૂ. વીસ કરોડ તથા ડેપ્યુટી ચીફ મિનિસ્ટરનું પદ ઓફર થયું છે.

અંબાણી-અદાણીને સાચવવા માંગે છે ભાજપ-કોંગ્રેસ  
 
આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતોકે, દિલ્હીમાં વીજ વિતરણના નામે કરોડો રૂપિયાની લૂંટ ચલાવી રહી છે. તેમના લાઈસન્સ રદ્દ કરવાની દિલ્હી સરકારને ધમકી આપવામાં આવી એટલે આ સરકારનું પતન થાય તે માટેના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા. અદાણી-અંબાણી વગેરેના કરતૂતો સામે કોંગ્રેસ અને ભાજપે આંખ આડા કાન કર્યા છે. 
 
આપથી ડર્યું છે ભાજપ 
 
આમ આદમી પાર્ટીના દાવા પ્રમાણે, ભ્રષ્ટ નેતાઓને હરાવવાના કેજરીવાલના આહ્વાનથી ભાજપ અને કોંગ્રેસમાં ફફડાટ મચી ગયો છે. દિલ્હીની આપ સરકાર બદનામ કરવામાં લાગે છે. સંજય સિંહે દાવો કર્યો હતો કે, મીડિયામાં રહેલા 'પોતાના માણસો'ની મદદથી દિલ્હીની આપ સરકારને બદનામ કરવા અરૂણ જેટલી સક્રિય બનવાના છે. રસ્તાના ખાડા તથા લાંચખોરી દેખાડીને સરકારને બદનામ કરવા પ્રયાસ થશે. વાસ્તવમાં ચર્ચા થવી જોઈએ કે ડિસેમ્બર મહિનામાં ચાર અન્ય રાજ્યોની પણ સરકાર બની છે, ત્યારે કઈ સરકારે કેટલું કામ કર્યું છે. 
 
વિનોદ કુમાર બિન્નીએ ભાજપના નેતા ડૉ. હર્ષવર્ધન અને વિજય ગોયલ સાથે રવિવારે રાત્રેએ મુલાકાત કરી હતી. દિલ્હીના કસ્તુરબાનગરથી ધારાસભ્ય મદનલાલના કહેવા પ્રમાણે, નવ ધારાસભ્યોને લઈને પાર્ટીમાં બળવો કરવા પ્રેર્યા હતા. આપે કહ્યું હતું કે અરૂણાચલ પ્રદેશના યુવકની હત્યાના સંદર્ભમાં મેજીસ્ટેરિયલ તપાસના આદેશ આપી દેવાયા છે. આ પ્રકારના કોઈપણ કૃત્યનો આપ બચાવ નથી કરતું. ચાહે તેમાં આપના જ નેતા કેમ ન સંડોવાયેલા હોય.