Tuesday, 4 February 2014

ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘરમાં ધમાધમ: મોદીના હસ્તે લાભાર્થીઓને ઘરની ફાળવણી પણ ઘર ક્યાં?..પરંતુ તેમને મકાન ક્યાં લાગ્યું છે, તેની માહિતી ક્યાંય આપી નથી.


ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘરમાં ધમાધમ: મોદીના હસ્તે લાભાર્થીઓને ઘરની ફાળવણી પણ ઘર ક્યાં? 
નરેન્દ્ર મોદીને ખૂશ કરાવવા કોર્પોરેશને કરાવ્યો ડ્રો, છતી થઈ હકિકત
ક્યા લાભાર્થીને ક્યું મકાન મળશે તેની કાર્યવાહી હાથ ધરશે


ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે(સોમવારે) અમદાવાદમાં આઇઆઇએમ બ્રિજ, ધોબીઘાટ, ગુજરીબજાર સહિત ચાર કાર્યક્રમોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં આવાસ યોજનાના ડ્રોનો પણ સમાવેશ થાય છે. ગઈ કાલે નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આવાસ યોજનાના કોમ્પ્યુટર ડ્રોમાં દસ હજાર લાભાર્થીઓની પસંદગી થઈ હતી. આ લાભાર્થીઓને મકાન મળી ગયું હોવાના મેસેજ પણ મળી ગયા હતા. જો કે, સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, તેમને કઈ સ્કીમમાં અને ક્યાં નંબરના મકાન ફાળવાયા છે. તેની કોઈ માહિતી અપાઇ નથી.

સૂત્રોએ પાસેથી તો એવું પણ જાણવા મળ્યું છે કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ખૂશ કરવા માટે કોર્પોરેશનના અધિકારીઓએ કાચું કાપ્યું છે. તેમણે હોમવર્ક કર્યા વગર જ મોદીના હસ્તે ડ્રો કરાવી દીધો હતો. કારણ કે, લાભાર્થીઓને મકાન મળ્યાના સમાચાર તો મળી ગયા છે. પરંતુ તેમને મકાન ક્યાં લાગ્યું છે, તેની માહિતી ક્યાંય આપી નથી.
આવાસ યોજના કેન્દ્રની અને લાભ ખાટે છે ભાજપ

મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ બનાવાયેલા આવાસોનો ભાજપ અને રાજ્ય સરકાર ખોટી રીતે લાભ ખાટી રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. હકીકતમાં સ્લમ વિસ્તારોમાં સુવિધાયુકત આવાસો બાંધવા માટે કેન્દ્ર સરકારે અમલમાં મૂકી હતી. જે યોજના હેઠળ કેન્દ્ર સરકારે ફાળવેલાં નાણાંમાંથી બન્યા હોવાનું જણાવતાં પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી નીશિત વ્યાસે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી મોદી ગરીબોમાં ભ્રામકતા ઊભી કરી રહ્યા છે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલા ૧૦,૦૧૧ આવાસનો મુખ્યમંત્રી મોદીએ કમ્પ્યુટર દ્વારા ડ્રો કર્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલા ૫૦૭૪ ઇડબલ્યુએસ તથા ૪૯૩૭ એલઆઇજી આવાસ ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસોનો નરેન્દ્ર મોદીએ કમ્પ્યૂટર દ્વારા ડ્રો કર્યો હતો. આ સાથે રિવરફ્રન્ટ પર નવનર્મિત ધોબીઘાટ અને ગુજરી બજારનું પણ તેમણે લોકાર્પણ કર્યું હતું.

No comments:

Post a Comment