Tuesday, 4 February 2014

ગોરી લાડીને ગુજ્જુ વરઃ સાત સમંદર પાર કરી આપ્યાં સાત જન્મના કોલ

ગોરી લાડીને ગુજ્જુ વરઃ સાત સમંદર પાર કરી આપ્યાં સાત જન્મના કોલ ૭ સમંદર પારથી આવી ૭ જન્મના કોલ આપ્યાં
- ફેસબુકના માધ્યમથી થયેલો પરિચય છેવટે સાત જન્મના બંધને બંધાયો


ફેસબુકના માધ્યમથી થયેલો પરિચય છેવટે સાત જન્મના બંધને બંધાયો હતો. અમેરિકાની જેનીફર અને બોરસદનો મયંક લખલાણી રવિવારે લગ્નગ્રંથિથી જોડાયા હતા. મયંકના પિતાના મિત્ર ભાવેશ અરુણભાઇ જોશીએ જેનીફરનું કન્યાદાન કર્યુ હતું.બોરસદના પાર્શ્વનાથ કોમ્પલેક્ષના કોમન પ્લોટમાં યોજાયેલા લગ્નપ્રસંગે મયંકના સગાંસંબંધી સૌરાષ્ટ્રથી આવી પહોંચ્યા હતા.

એવું કહેવાય છે કે 'સગપણ તો સ્વર્ગમાં જ નક્કી થાય છે, ધરતી પર તો તેની ઉજવણી કરાઈ છે.' એનઆરઆઇ પંથક તરીકે જાણીતા ચરોતરમાંથી યુવતીઓ લગ્ન કરીને અમેરિકા, લંડન કે ઓસ્ટ્રેલિયા જાય એ વાત સામાન્ય બની ગઇ છે, પરંતુ અમેરિકાની ગૌરી ચરોતરના યુવક સાથે લગ્ન કરવા ગુજરાતમાં આવી પહોંચી હોય તેવી આ જ્વલ્લેજ જોવા મળતી ઘટના છે. અમેરિકાની ર૮ વર્ષીય નર્સ જેનિફર સાત સમુદ્ધ પાર કરીને આણંદ જિલ્લાના બોરસદના કોલ સેન્ટરમાં નોકરી કરતાં મયંક લખલાણી સાથે રવિવારે સાત જન્મના બંધને બંધાયા હતાં. વિશિષ્ટ પ્રકારના આ લગ્નને લઇને બોરસદમાં ખુશીનો માહોલ છવાયો હતો. ફેસબુકના માધ્યમથી પરિચય બાદ મિત્રતામાં પાંગરેલો પ્રેમ હવે એકબીજાને જીવનસાથી બનાવ્યા હતાં.

સાત સમુદ્ધ પાર અમેરિકાની યુવતી સાથે પ્રેમનાં પુષ્પો કેવી રીતે ખીલી ઊઠ્યાં તેનાં વિશે વાત કરતાં એકદમ રોમાંચક બની ગયેલા મયંક લખલાણીએ જણાવ્યું હતું કે 'વર્ષ ૨૦૧૨માં ૩જી નવેમ્બરે ફેસબુક પર જેનિફરને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જેનિફરે ૪થી નવેમ્બરે મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી. માત્ર દસ દિવસમાં ફેસબુક પર વિચારોની આપ-લેમાં એકબીજા એટલાં નજીક આવી ગયા કે ૨૧મી નવેમ્બરે જેનિફરે લગ્નના પ્રસ્તાવનો પણ સ્વીકાર કરી લીધો હતો.

કરાચીની જેલમાં ગુજરાતીનું મૃત્યુ, પાક. જેલમાં ભારતીય કેદીના મોતની વર્ષમાં ત્રીજી ઘટના

પાકિસ્તાન, કરાચીની લાંધી જેલમાં રાખવામાં આવેલા ગુજરાતી કેદી કિશોર ભગવાનભાઇની મંગળવારે સવારે શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના ઉના પંથકના કોબ ગામના નિવાસી એવા કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

કિશોરના મૃત્યુનું કારણ શું હશે, તેની રાહ જોવામાં આવી રહી છે. કિશોર માછીમારીનું કામ કરતો હતો. જાન્યુઆરી, 2013માં પાકિસ્તાનના એક્સક્લુસિવ ઇકોનોમિ ઝોનમાં ડોક્યુમેન્ટ્સ વગર માછીમારી કરવા બદલ પાક. મરીન સિક્યોરિટીએ તેની ધરપકડ કરી હતી. ગત જાન્યુઆરી માસ દરમ્યાન પાક. મરીન સિક્યોરિટી  એજન્સીએ 11 બોટ સાથે દીવના 60 માછીમારોને પકડીને લાંધી જેલમાં મોકલી દીધા હતા, પરંતુ 20 માર્ચ 2013 નાં રોજ દીવના ટંડેલ રમેશ છગને પરિવારને એક પત્ર લખ્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે, તે અને ઊના તાલુકાના કોબ ગામનો યુવાન કિશોર ભગવાન મકવાણા પોરબંદરની કેદારેશ્વર (નં. 3530) નામની બોટમાં જાન્યુઆરી 2013 દરમિયાન પકડાયા હતા, પરંતુ બાદમાં કિશોર જેલમાંથી ભાગી ગયો હતો.
કરાચીની જેલમાં ગુજરાતીનું મૃત્યુ, પાક. જેલમાં ભારતીય કેદીના મોતની વર્ષમાં ત્રીજી ઘટનાકરાચીની જેલમાં ગુજરાતીનું મૃત્યુ, પાક. જેલમાં ભારતીય કેદીના મોતની વર્ષમાં ત્રીજી ઘટના

ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘરમાં ધમાધમ: મોદીના હસ્તે લાભાર્થીઓને ઘરની ફાળવણી પણ ઘર ક્યાં?..પરંતુ તેમને મકાન ક્યાં લાગ્યું છે, તેની માહિતી ક્યાંય આપી નથી.


ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘરમાં ધમાધમ: મોદીના હસ્તે લાભાર્થીઓને ઘરની ફાળવણી પણ ઘર ક્યાં? 
નરેન્દ્ર મોદીને ખૂશ કરાવવા કોર્પોરેશને કરાવ્યો ડ્રો, છતી થઈ હકિકત
ક્યા લાભાર્થીને ક્યું મકાન મળશે તેની કાર્યવાહી હાથ ધરશે


ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે(સોમવારે) અમદાવાદમાં આઇઆઇએમ બ્રિજ, ધોબીઘાટ, ગુજરીબજાર સહિત ચાર કાર્યક્રમોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં આવાસ યોજનાના ડ્રોનો પણ સમાવેશ થાય છે. ગઈ કાલે નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આવાસ યોજનાના કોમ્પ્યુટર ડ્રોમાં દસ હજાર લાભાર્થીઓની પસંદગી થઈ હતી. આ લાભાર્થીઓને મકાન મળી ગયું હોવાના મેસેજ પણ મળી ગયા હતા. જો કે, સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, તેમને કઈ સ્કીમમાં અને ક્યાં નંબરના મકાન ફાળવાયા છે. તેની કોઈ માહિતી અપાઇ નથી.

સૂત્રોએ પાસેથી તો એવું પણ જાણવા મળ્યું છે કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ખૂશ કરવા માટે કોર્પોરેશનના અધિકારીઓએ કાચું કાપ્યું છે. તેમણે હોમવર્ક કર્યા વગર જ મોદીના હસ્તે ડ્રો કરાવી દીધો હતો. કારણ કે, લાભાર્થીઓને મકાન મળ્યાના સમાચાર તો મળી ગયા છે. પરંતુ તેમને મકાન ક્યાં લાગ્યું છે, તેની માહિતી ક્યાંય આપી નથી.
આવાસ યોજના કેન્દ્રની અને લાભ ખાટે છે ભાજપ

મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ બનાવાયેલા આવાસોનો ભાજપ અને રાજ્ય સરકાર ખોટી રીતે લાભ ખાટી રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. હકીકતમાં સ્લમ વિસ્તારોમાં સુવિધાયુકત આવાસો બાંધવા માટે કેન્દ્ર સરકારે અમલમાં મૂકી હતી. જે યોજના હેઠળ કેન્દ્ર સરકારે ફાળવેલાં નાણાંમાંથી બન્યા હોવાનું જણાવતાં પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી નીશિત વ્યાસે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી મોદી ગરીબોમાં ભ્રામકતા ઊભી કરી રહ્યા છે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલા ૧૦,૦૧૧ આવાસનો મુખ્યમંત્રી મોદીએ કમ્પ્યુટર દ્વારા ડ્રો કર્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલા ૫૦૭૪ ઇડબલ્યુએસ તથા ૪૯૩૭ એલઆઇજી આવાસ ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસોનો નરેન્દ્ર મોદીએ કમ્પ્યૂટર દ્વારા ડ્રો કર્યો હતો. આ સાથે રિવરફ્રન્ટ પર નવનર્મિત ધોબીઘાટ અને ગુજરી બજારનું પણ તેમણે લોકાર્પણ કર્યું હતું.

Monday, 3 February 2014

અંબાણીના ઈશારે ભાજપ દ્વારા દિલ્હી સરકારના પતનના પ્રયાસો: આપ..અંબાણી-અદાણીને સાચવવા માંગે છે ભાજપ-કોંગ્રેસ.. દિલ્હીમાં વીજ વિતરણના નામે કરોડો રૂપિયાની લૂંટ ચલાવી રહી છે. તેમના લાઈસન્સ રદ્દ કરવાની દિલ્હી સરકારને ધમકી આપવામાં આવી એટલે આ સરકારનું પતન થાય તે માટેના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા. અદાણી-અંબાણી વગેરેના કરતૂતો સામે કોંગ્રેસ અને ભાજપે આંખ આડા કાન કર્યા છે.

અંબાણીના ઈશારે ભાજપ દ્વારા દિલ્હી સરકારના પતનના પ્રયાસો: આપ
સોમવારે સવારે આમ આદમી પાર્ટી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં આરોપ મુકવામાં આવ્યો હતો કે, દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારને અસ્થિર કરવા માટે ભાજપ તત્પર બન્યું છે. આ માટે ધારાસભ્ય મદનલાલને રૂ. વીસ કરોડ તથા ડેપ્યુટી ચીફ મિનિસ્ટરનું પદ ઓફર થયું છે.

અંબાણી-અદાણીને સાચવવા માંગે છે ભાજપ-કોંગ્રેસ  
 
આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતોકે, દિલ્હીમાં વીજ વિતરણના નામે કરોડો રૂપિયાની લૂંટ ચલાવી રહી છે. તેમના લાઈસન્સ રદ્દ કરવાની દિલ્હી સરકારને ધમકી આપવામાં આવી એટલે આ સરકારનું પતન થાય તે માટેના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા. અદાણી-અંબાણી વગેરેના કરતૂતો સામે કોંગ્રેસ અને ભાજપે આંખ આડા કાન કર્યા છે. 
 
આપથી ડર્યું છે ભાજપ 
 
આમ આદમી પાર્ટીના દાવા પ્રમાણે, ભ્રષ્ટ નેતાઓને હરાવવાના કેજરીવાલના આહ્વાનથી ભાજપ અને કોંગ્રેસમાં ફફડાટ મચી ગયો છે. દિલ્હીની આપ સરકાર બદનામ કરવામાં લાગે છે. સંજય સિંહે દાવો કર્યો હતો કે, મીડિયામાં રહેલા 'પોતાના માણસો'ની મદદથી દિલ્હીની આપ સરકારને બદનામ કરવા અરૂણ જેટલી સક્રિય બનવાના છે. રસ્તાના ખાડા તથા લાંચખોરી દેખાડીને સરકારને બદનામ કરવા પ્રયાસ થશે. વાસ્તવમાં ચર્ચા થવી જોઈએ કે ડિસેમ્બર મહિનામાં ચાર અન્ય રાજ્યોની પણ સરકાર બની છે, ત્યારે કઈ સરકારે કેટલું કામ કર્યું છે. 
 
વિનોદ કુમાર બિન્નીએ ભાજપના નેતા ડૉ. હર્ષવર્ધન અને વિજય ગોયલ સાથે રવિવારે રાત્રેએ મુલાકાત કરી હતી. દિલ્હીના કસ્તુરબાનગરથી ધારાસભ્ય મદનલાલના કહેવા પ્રમાણે, નવ ધારાસભ્યોને લઈને પાર્ટીમાં બળવો કરવા પ્રેર્યા હતા. આપે કહ્યું હતું કે અરૂણાચલ પ્રદેશના યુવકની હત્યાના સંદર્ભમાં મેજીસ્ટેરિયલ તપાસના આદેશ આપી દેવાયા છે. આ પ્રકારના કોઈપણ કૃત્યનો આપ બચાવ નથી કરતું. ચાહે તેમાં આપના જ નેતા કેમ ન સંડોવાયેલા હોય.

Tuesday, 28 January 2014

કેજરીવાલ સરકારની એક મહિનાની ફિલ્મ:એકશન, ડ્રામા, મેલોડ્રામા, બધું

કેજરીવાલ સરકારની એક મહિનાની ફિલ્મ:એકશન, ડ્રામા, મેલોડ્રામા, બધું
અરવિંદ કેજરીવાલની સરકારે મંગળવારે એક મહિનો પૂરો કર્યો. કેજરીવાલ દિલ્હીના સાતમા મુખ્યપ્રધાન છે. કેજરીવાલે 48કલાકની અંદર અમુક નિર્ણયો લઈને વિપક્ષના હોશ ઉડાવી દીધા હતા. દિલ્હી વિધાનસભામાં કેજરીવાલની સરકારે વિશ્વાસનો મત મેળવ્યો, ત્યારસુધીમાં દિલ્હીના લોકોની અપેક્ષાઓ આકાશ આંબવા લાગી હતી. દિલ્હીના મીડિયામાં પત્રકારો કેજરીવાલને મોદીને માટે ચેલેન્જ કહેવા લાગ્યા હતા. પરંતુ હવે કેજરીવાલ મુશ્કેલીમાં ઘેરાઈ ગયા છે. 
 
લોકોને આપેલા વચનોમાંથી પાછા ફરી જવું, સિદ્ધાંતો સાથે સમાધાન, આપના ધારાસભ્યોનો અવાજ દબાવવો, કાયદા વિરૂદ્ધનું કામ કરનારા કાયદાપ્રધાન વિરૂદ્ધ કાર્યવાહી કરવી નહીં ઉલ્ટું કાયદાપ્રધાનના સમર્થનમાં ધરણા દેવા. વગેરે જેવી બાબતોના કારણે કેજરીવાલની નાલેશી થઈ છે. ત્યારે આગળ નજર કરીએ કેજરીવાલના ત્રીસ દિવસના રિપોર્ટ કાર્ડ પર. કેજરીવાલની એક મહિનાની ફિલ્મમાં એકશન, ડ્રામા, મેલોડ્રામા સહિત બધું જ હતું. 
 
કેજરીવાલના મહત્વપૂર્ણ નિર્ણયો
 
- માસિક વીસ હજાર લિટર પાણી આપવાની જાહેરાત
- વીજ બીલ્સમાં પચાસ ટકા સુધીનો ઘટાડો
- કેજરીવાલે સુરક્ષા લેવાનો ઈન્કાર કર્યો 
- મિલેનિયમ બસ ડિપોટને યમુના બેન્ક પરથી હટાવવામાં આવ્યો. 
- રિટેલમાં એફડીઆઈનો વિરોધ કર્યો 
- ભ્રષ્ટાચાર નિરોધક હેલ્પલાઈનનો નંબર બહાર પાડ્યો
- દિલ્હી જળ બોર્ડમાં ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ કામ કરતા આઠસોથી વધુ કર્મચારીઓ-અધિકારીઓની બદલી કરી.
- પદ સંભાળતા જ દિલ્હી જળ બોર્ડ, મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓની બદલીઓ કરી, પરંતુ પછી ઠંડા પડી ગયા. 
કોંગ્રેસ અને ભાજપની સામે મુખ્ય અઢાર મુદ્દાઓ પર આમ આદમી પાર્ટીએ ચૂંટણીઓ લડી હતી. જેમાં વીઆઈપી કલ્ચરની નાબુદી, વીજળી, ધારાસભ્ય-કોર્પોરેટર ફંડ નાબુદ કરવું, પાણી, અનિયમિત કોલોનીઓને નિયમિત કરવી, વગેરે પ્રમુખ છે
કેજરીવાલ સરકારની એક મહિનાની ફિલ્મ:એકશન, ડ્રામા, મેલોડ્રામા, બધું  
ક્યા 17 મુદ્દાઓ પર માંગી હતી કોંગ્રેસની સહમતી ?

૧. વીઆઇપી કલ્ચરનો અંત લાવવોઃ દિલ્હીમાં વીઆઇપી કલ્ચર બંધ કરવું છે.દિલ્હી સરકારના કોઇપણ વિધાનસભ્ય ,મંત્રી કે અધિકારી લાલબત્તીની ગાડી નહીં લે.મોટા બંગલામાં નહીં જાય. સુરક્ષા ગાર્ડ નહીં લે. વિધાયક અને સાસંદ ભંડોળ બંધ કરવામાં આવશે અને તે નાણા મહોલ્લા સમિતિઓને આપવામાં આવશે. શું કોંગ્રેસ સહમત છે?

૨. જનલોકપાલ ખરડાનો અમલ: ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કડક લોકપાલબીલ પસાર કરવું છે.વિધાનસભાનું વિશેષ સત્ર રામલીલા મેદાનમાં બોલાવીને જનલોકપાલ બીલ પસાર કરીશું. તે માટે કોંગ્રેસનું બિનશરતી સમર્થન છે?

૩.સ્વરાજ સ્થાપિત થાય: ફળિયા અને કોલોની વિશેના નિર્ણયોના અધિકાર સીધા જનતાને આપવામાં આવે.તેને અમલી કરવા આપ સ્વરાજ કાયદો લાવશે. શું કોંગ્રેસ આ મુદ્દે બિનશરતી ટેકો આપશે?

૪. દિલ્હીનો પુર્ણ રાજ્યનો દરજ્જો: આપની સરકાર કેન્દ્ર સરકાર પાસે દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો આપવા માગણી કરશે. કોંગ્રેસને મંજૂર છે?

પ. વીજકંપનીઓનું ઓડિટ: વીજ કંપનીઓએ ભારે ગરબડ કરી છે.આપ વીજકંપનીઓનું ખાસ ઓડિટ કરાવશે.શું કોંગ્રેસ તે કામમાં સાથે રહેશે?

૬.વીજળીના ઝડપી ચાલતા મીટરઃ લોકોને શંકા છે કે દિલ્હીમાં વીજ મીટર ઝડપથી ચાલી રહ્યા છે.તેની તપાસ કરાવીશું.વધુ નાણા લેનારી વીજકંપનીઓ પાસેથી નાણા વસુલી કરવા બાબતે કોંગ્રેસ સમર્થન આપશે?

૭. પાણીની વ્યવસ્થા: દિલ્હી જળ બોર્ડનું પુનર્ગઠન કરાશે. દરેક ઘર સુધી ૭૦૦ લિટર સ્વચ્છ પાણી દર રોજ મફત પહોંચાડાશે. ૭૦૦ લિટરથી વધુ પાણીના વપરાશ કરાશે તો પૈસા લેવામાં આવશે. દર વર્ષે પાણીના ભાવ વધારવાની જોગવાઇવાળો કાયદો રદ કરાશે. શું કોંગ્રેસ સહમત છે?

૮. ગેરકાનૂની કોલોનીઓ: દિલ્હીની ૩૦ ટકાથી વધુ વસ્તી ગેરકાનૂની કોલોનીઓમાં રહે છે. વર્ષમાં અમે તેને નિયમિત કરીશું. શું કોંગ્રેસ આ બાબતે સાથ આપશે?

૯. ઝૂંપડપટ્ટી: ઝૂંપડામાં રહેતા લોકોને સરળ શરતોએ પાકા મકાન આપવામાં આવશે. પાકા મકાન અપાય ત્યાં સુધી ઝૂંપડાં તોડવામાં આવશે નહીં. શું કોંગ્રેસ તેનું સમર્થન કરશે?

૧૦. સ્થાયી કામ માટે કોન્ટ્રાક્ટર નહીં કર્મચારી: દિલ્હીમાં સફાઇ કર્મચારી, અધ્યાપકો, નર્સો વગેરેને પણ કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે. અમે સ્થાયી અને નિયમિત કામોમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરીશું. શું કોંગ્રેસ સમર્થન આપશે?

૧૧. વ્યાપાર અને ઉદ્યોગ: વેટનું સરળીકરણ કરાશે. દરોની સમીક્ષા કરાશે. શું કોંગ્રેસ આ પ્રસ્તાવનું સમર્થન કરશે?

૧૨. રિટેઈલમાં એફડીઆઇ: 'આપ’ દિલ્હીમાં કરિયાણામાં એફડીઆઇ લાવવાની વિરુદ્ધમાં છે. શું કોંગ્રેસને આ શરત મંજૂર છે?

૧૩. દિલ્હીના ગામડા: દિલ્હીમાં ૩૬૦ ગામ છે. ત્યાં ખેતી થાય છે. આ જમીનો ખેડૂતોની મરજી વગર સસ્તા ભાવે ખરીદીને બિલ્ડરોને આપી દેવામાં આવે છે. હવે ગ્રામસભાની મંજૂરી વગર કોઇ પણ ગામની જમીનનું સંપાદન કરાશે નહીં. શું તમે સમર્થન આપશો?

૧૪. શિક્ષણ: દિલ્હીમાં પ૦૦થી વધુ નવી સરકારી સ્કૂલ શરૂ કરવામાં આવશે. પ્રાઇવેટ સ્કૂલોમાં ડોનેશનની સિસ્ટમ બંધ કરવામાં આવશે. પ્રાઇવેટ સ્કૂલોમાં ફી નક્કી કરવાની પ્રક્રિયાને પારદર્શક બનાવાશે. શું આમાં કોંગ્રેસ સાથ આપશે?

૧પ. સ્વાસ્થ્ય: નવી સરકારી હોસ્પિટલો શરૂ કરવામાં આવશે અને સરકારી હોસ્પિટલોમાં પ્રાઇવેટ હોસ્પિટલો કરતા પણ બહેતર ઇલાજની વ્યવસ્થા કરાશે. શું  કોંગ્રેસને મંજૂર છે?

૧૬. મહિ‌લા સુરક્ષા: દિલ્હીમાં મહિ‌લા સુરક્ષા માટે વિશેષ દળ બનાવાશે. નવી અદાલતો બનાવાશે, જજિસ નિયુક્ત કરાશે જેથી મહિ‌લા સાથે સંબંધિત કેસોની ત્રણથી છ મહિ‌નામાં સજા મળી શકે. શું કોંગ્રેસ તેનું સમર્થન કરે છે?

૧૭. ન્યાય વ્યવસ્થા: દિલ્હીમાં એટલી નવી અદાલતો શરૂ કરવામાં આવે અને એટલા નવા જજિસની નિયુક્તિ કરવામાં આવે જેથી કોઇ પણ કેસનો છ મહિ‌નાથી એક વર્ષમાં નિકાલ કરી શકાય. શું કોંગ્રેસ સહયોગ કરશે?

18. અનેક મુદ્દાઓના અમલીકરણ માટે દિલ્હી નગર નિગમના સહકારની જરૂર પજશે. દિલ્હી નગર નિગમમાં બીજેપીનું શાસન છે. શું આ મુદ્દાઓ ઉપર બીજેપી 'આપ'ને સહકાર આપશે?(18મી શરત માત્ર ભાજપ માટે જ હતી.)
 
કેજરીવાલ સરકારની એક મહિનાની ફિલ્મ:એકશન, ડ્રામા, મેલોડ્રામા, બધું
કેજરીવાલ સરકારની એક મહિનાની ફિલ્મ:એકશન, ડ્રામા, મેલોડ્રામા, બધુંકેજરીવાલ સરકારની એક મહિનાની ફિલ્મ:એકશન, ડ્રામા, મેલોડ્રામા, બધું

બીગ બીએ શેર કર્યા અ'વાદના અનુભવ, તસવીરો બની વાયરલ


બીગ બીએ શેર કર્યા અ'વાદના અનુભવ, તસવીરો બની વાયરલગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અને બોલીવૂડ અભિનેતા છેલ્લા બે દિવસથી અમદાવાદમાં 'ખૂશ્બુ ગુજરાત કી' એડ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. ગઈ કાલે તેમણે અમદાવાદમાં 100 વિન્ટેજ કારના કલેક્શનને નિહાળ્યું હતું. આ કલેક્શન જોઇને તેઓ પ્રભાવિત થઈ ગયા હતા. આ પછી તેમણે પોતાના ફેસબૂક એકાઉન્ટમાં યુનિક કાર સાથેની તસવીર તથા એખ ખેલૈયાના વેશમાં બેઠેલા બાળક સાથેની તસવીરો શૅર કરી હતી. જેને ફેસબૂક ફ્રેન્ડે વધાવી લીધી હતી.

કાર સાથેની તસવીરને અત્યાર સુધીમાં 30 હજારથી વધુ લાઇક મળી છે. જ્યારે 700થી વધુ લોકોએ કોમેન્ટ કરી છે, તો 800થી વધુ લોકોએ આ તસવીર શૅર કરી છે. ખેલૈયાના વેશમાં રહેલા બાળક સાથેની તસવીર 16 કલાકમાં એક લાખથી વધુ લોકોએ લાઇક કરી છે. બે હજારથી વધુ લોકોએ શૅર કરી છે, તેમજ આ તસવીર પર એક હજારથી વધુ કોમેન્ટ આવી છે.

અમિતાભે ફેસબૂક પર લખ્યું છે કે, મેં અમદાવાદમાં કેટલાક યુનિક લોકેશનની મુલાકાત લીધી, જેમાં 100 વિન્ટેજ કારનું કલેક્શન અદભૂત હતું. ઉપરાંત તેમણે અમદાવાદના લો ગાર્ડન, એન્ટિક કાર મ્યુઝિયમ, મજાર અને ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી હોવાનો તથા તેનાથી ઇતિહાસ અને તેના જ્ઞાનમાં વધારો થયો હોવાનું જણાવ્યું છે.
બિગ બીએ ફેસબુક પર શેર કર્યો અમદાવાદનો અનુભવ, તસવીરો બની વાયરલ

અ'વાદ બતાવું, ચાલો: અમિતાભ ફર્યા ગલીઓમાં, માણ્યા દેશી સ્વાદ


- લારીવાળે ઉત્સાહમાં ને ઉત્સાહમાં સગડી માટે ગેસનો બાટલો પણ લાવવાનું ભૂલી ગયા
- લગભગ સાતેક રિટેક પછી કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આગળના ભાગમાં શૂટિંગ પૂર્ણ

અમદાવાદના સાંસ્કૃતિક ધરોહર સમાન કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કલાત્મક દરવાજા બહાર એક શણગારેલો છકડો ઊભો છે, સવારે પોળિયા અમદાવાદીઓનો ફેવરિટ નાસ્તો ફાફડા-જલેબીની લારી ઊભી છે, ગરમાગરમ ચાની લારી પણ છે. આ બધી લારીઓ શૂટિંગ માટે ઊભી કરાઈ છે. ૧૦-૧૨ ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલાં છોકરી-છોકરાઓ આંટાફેરા મારી રહ્યાં છે. ચાર-પાંચ ફોરેનર્સને પણ શૂટિંગમાં સામેલ થવા બોલાવ્યા છે. એડ્ફિલ્મના દિગ્દર્શક સુજિત સરકાર આ ક્રાઉડ માટે બોલાવાયેલા આર્ટિ‌સ્ટને રિહર્સલ કરાવી રહ્યા છે. જીમી જીપ (કેમેરાને ઉપર-નીચે, ડાબે-જમણે ફેરવવાની ક્રેન) પર આરી કેમેરો અને બીજો એક સ્ટેડિંગ પોઝિશનમાં રેડ કેમેરો ગોઠવાયેલો છે. અચાનક પાઉંભાજીની લારીવાળા ભાઈ કે જે લારી પાસે અમિતાભ બચ્ચન આવીને ઊભા રહીને શોટ આપવાના છે તેમનું ધ્યાન જાય છે કે શૂટિંગના ઉત્સાહમાં ગેસનો બાટલો લાવવાનું તો ભૂલી જ ગયા છે. તાત્કાલિક તે અરેન્જ કરવામાં આવે છે.અ'વાદ બતાવું, ચાલો: અમિતાભ ફર્યા ગલીઓમાં, માણ્યા દેશી સ્વાદઅ'વાદ બતાવું, ચાલો: અમિતાભ ફર્યા ગલીઓમાં, માણ્યા દેશી સ્વાદઅમિતાભ આવવાના હોય અને જનમેદની એકઠી ના થાય એવું તો બને જ નહીં ને. લોકો તેમની એક ઝલક જોવા માટે સવારના ૬ વાગ્યાના તપસ્યા કરતા હતા. શોટ ઓકે થયા પછી ત્યાં હાજર ક્રાઉડ સામે બચ્ચન હાથ હલાવી અભિવાદન કરી તેમની ઈચ્છા પૂરી કરે છે. લોકો ચિચિયારીઓ સાથે તેમનું અભિવાદન ઝીલે છે. પછી ત્યાંથી દલપતરામ ચોક તરફ આગળનો શોટ આપવા માટે રવાના થાય છે.

હા, અમિતાભ બચ્ચન હાલ ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે 'ખૂશ્બુ ગુજરાત કી’ કેમ્પેઈનના શૂટિંગમાં ભાગ લેવા માટે બે દિવસથી અમદાવાદમાં છે. ૨૬ જાન્યુઆરી એટલે કે રવિવારે તેમણે સરખેજના રોજા અને લો ગાર્ડન ખાતે શૂટિંગ કર્યું, ૨૭મી જાન્યુઆરી, સોમવારે તેમણે કાલુપુર સ્વામિનારાયણ મંદિર, કવિ દલપતરામ ચોક, અને જામા મસ્જિદમાં શૂટિંગ કર્યું. આશા રાખીએ કે તેમના આ કેમ્પેઈનથી ગુજરાતની ખૂશ્બુ વધુ ફેલાય.
ખૂશ્બુ ગુજરાત કી; છેલ્લા બે દિવસથી બિગ બી બન્યા છે શહેરના મહેમાન અને કરી રહ્યા છે શૂટિંગ

૬પમો પ્રજાસત્તાક દિન આ વખતે શહેરીજનો માટે ખાસ બની રહ્યો, કારણ કે તેમના માનીતા-લોકલાડીલા મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન શહેરમાં 'ગુજરાત કી ખૂશ્બુ’ ફેલાવવા માટે આવ્યા હતા અને શહેરના હેરિટેજ પ્લેસિસ સરખેજના રોજા, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, કવિ દલપતરામ ચોક અને જામા મસ્જિદના શૂટિંગમાં ભાગ લઈને જોવા આવેલાને જલસો કરાવી દીધો હતો.
અ'વાદ બતાવું, ચાલો: અમિતાભ ફર્યા ગલીઓમાં, માણ્યા દેશી સ્વાદ
એક માજી કાલુપુર સ્વામિનારાયણ મંદિરના પરિસર તરફ નિત્યક્રમ મુજબ જઈ રહ્યાં હતાં, પણ તેમને પોલીસે અટકાવી દીધાં.
પોલીસ : 'માજી, ક્યાં જવું છે?’
માજી : મંદિરે
પોલીસ : તમે નહીં જઈ શકો.
માજી : કેમ?
પોલીસ : અહીં અમિતાભ બચ્ચન શૂટિંગ માટે આવવાના છે એટલે...
માજી : પણ ભાઈ મારે આજે અગિયારસ છે અને મંદિરનાં દર્શન કરવાનો નિયમ છે.
પોલીસ : કંઈ વાંધો નહીં, તમે શૂટિંગ પૂરું થાય પછી દર્શન કરી જજો.
માજી : ના..ભઈ ના...હો...મારે તો નિયમ ના તોડાય ભઈ... (બોલીને ધરાહાર મંદિરમાં ઘૂસી જ જાય છે.)
અ'વાદ બતાવું, ચાલો: અમિતાભ ફર્યા ગલીઓમાં, માણ્યા દેશી સ્વાદ
અ'વાદ બતાવું, ચાલો: અમિતાભ ફર્યા ગલીઓમાં, માણ્યા દેશી સ્વાદ
અ'વાદ બતાવું, ચાલો: અમિતાભ ફર્યા ગલીઓમાં, માણ્યા દેશી સ્વાદ