સોમવારે સવારે આમ આદમી પાર્ટી
દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં આરોપ મુકવામાં આવ્યો હતો
કે, દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારને અસ્થિર કરવા માટે ભાજપ તત્પર બન્યું
છે. આ માટે ધારાસભ્ય મદનલાલને રૂ. વીસ કરોડ તથા ડેપ્યુટી ચીફ મિનિસ્ટરનું
પદ ઓફર થયું છે.
અંબાણી-અદાણીને સાચવવા માંગે છે ભાજપ-કોંગ્રેસ
અંબાણી-અદાણીને સાચવવા માંગે છે ભાજપ-કોંગ્રેસ
આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતોકે, દિલ્હીમાં વીજ વિતરણના નામે કરોડો
રૂપિયાની લૂંટ ચલાવી રહી છે. તેમના લાઈસન્સ રદ્દ કરવાની દિલ્હી સરકારને
ધમકી આપવામાં આવી એટલે આ સરકારનું પતન થાય તે માટેના પ્રયાસો તેજ કરી
દેવામાં આવ્યા. અદાણી-અંબાણી વગેરેના કરતૂતો સામે કોંગ્રેસ અને ભાજપે આંખ
આડા કાન કર્યા છે.
આપથી ડર્યું છે ભાજપ
આમ આદમી પાર્ટીના દાવા પ્રમાણે, ભ્રષ્ટ નેતાઓને હરાવવાના કેજરીવાલના
આહ્વાનથી ભાજપ અને કોંગ્રેસમાં ફફડાટ મચી ગયો છે. દિલ્હીની આપ સરકાર બદનામ
કરવામાં લાગે છે. સંજય સિંહે દાવો કર્યો હતો કે, મીડિયામાં રહેલા 'પોતાના
માણસો'ની મદદથી દિલ્હીની આપ સરકારને બદનામ કરવા અરૂણ જેટલી સક્રિય બનવાના
છે. રસ્તાના ખાડા તથા લાંચખોરી દેખાડીને સરકારને બદનામ કરવા પ્રયાસ થશે.
વાસ્તવમાં ચર્ચા થવી જોઈએ કે ડિસેમ્બર મહિનામાં ચાર અન્ય રાજ્યોની પણ સરકાર
બની છે, ત્યારે કઈ સરકારે કેટલું કામ કર્યું છે.
વિનોદ કુમાર બિન્નીએ ભાજપના નેતા ડૉ. હર્ષવર્ધન અને વિજય ગોયલ સાથે
રવિવારે રાત્રેએ મુલાકાત કરી હતી. દિલ્હીના કસ્તુરબાનગરથી ધારાસભ્ય
મદનલાલના કહેવા પ્રમાણે, નવ ધારાસભ્યોને લઈને પાર્ટીમાં બળવો કરવા પ્રેર્યા
હતા. આપે કહ્યું હતું કે અરૂણાચલ પ્રદેશના યુવકની હત્યાના સંદર્ભમાં
મેજીસ્ટેરિયલ તપાસના આદેશ આપી દેવાયા છે. આ પ્રકારના કોઈપણ કૃત્યનો આપ બચાવ
નથી કરતું. ચાહે તેમાં આપના જ નેતા કેમ ન સંડોવાયેલા હોય.
No comments:
Post a Comment