Wednesday, 8 January 2014


'મને મારી નાખવાથી કાશ્મીર સમસ્યા ઉકેલાય જશે તો હું તૈયાર છું'

'મને મારી નાખવાથી કાશ્મીર સમસ્યા ઉકેલાય જશે તો હું તૈયાર છું'

Agency, New Delhi | Jan 08, 2014, 23:59PM IST
More:
ટ્વિટર

1 of 7 Photos
આમ આદમી પાર્ટી (આપ)ના કૌશંબી ખાતેના કાર્યાલયે કેટલાક લોકોએ બુધવારે સવારે હુમલો કર્યો હતો. કાર્યાલય પર ઇંટ -પથ્થરનો વરસાદ થયો હતો. હુમલાખોરોએ કાર્યાલયના દરવાજા , બારી સહિતની સામગ્રીની તોડફોડ કરી હતી. ૪૦ -૫૦ હુમલાખોરોએ હુમલો કરીને ‘ આપ’ના કાર્યકર્તાઓને ગાળો પણ ભાંડી હતી. ‘હિન્દુરક્ષા દળ’ના બેનર હેઠળ આવેલા હુમલાખોરો પ્રશાંતભૂષણે કાશ્મીરના મુદ્દે આપેલા નિવેદનનો વિરોધ કરી રહ્યા હતા. હુમલા વખતે આપના કાર્યકર્તાઓ બચવા એક ખંડમાં ભરાઇ બેઠા હતા તેથી કોઇ કાર્યકરને ઇજા પહોંચી નહોતી. ‘ આપ’ ના નેતા કુમાર વિશ્વાસે ભાજપના લોકો હુમલામાં સામેલ હોવાના આક્ષેપ કર્યા હતા.

ભ્રષ્ટાચારીઓએ બદલવી પડશે ‘લાઈન’, કેજરીવાલે શરૂ કરી હેલ્પલાઈન
 જોકે ભાજપે આક્ષેપો ફગાવી દીધા હતા તે દરમિયાન પોલીસે ઘટનામાં કેસ દાખલ કરીને એક વ્યક્તિને ગિરફતાર કર્યો છે. તેનું નામ છે પિંકી ચૌધરી. પોતાની ઓળખ તેણે ‘હિન્દુરક્ષા દળ’ના રાષ્ટ્રીય સંયોજક તરીકે આપી હતી. ધરપકડ પછી તેમણે કહ્યું કે ,‘અમે પ્રશાંતભૂષણ દ્વારા કાશ્મીર  મુદ્દે અપાયેલી ટિપ્પણીનો વિરોધ કરીએ છીએ. કેજરીવાલે બટલાહાઉસ મુઠભેડ બનાવટી હોવાનું કહ્યું અને દેવી-દેવતાનું અપમાન કરતી કુમાર વિશ્વાસની ટિપ્પણીથી અમે નારાજ છીએ.’

 

No comments:

Post a Comment