શિક્ષણમાં રાજ્ય ૨૮મા ક્રમે ધકેલાયું
-મોદીએ રાષ્ટ્રીય કારોબારીમાં કરેલા સંબોધનની કોંગ્રેસે ટીકા કરી
-ગાંધી, મહાવીર, બુદ્ધની અહિંસા તરફ વિચારવા ભાજપ મજબૂર થયાનો આક્ષેપ

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પક્ષની રાષ્ટ્રીય કારોબારીને કરેલા સંબોધનની આકરી ટીકાઓ કરતાં પ્રદેશ કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે, મોદી સહિતના ભાજપના નેતાઓએ જે સંબોધનો કર્યા તેમાં આ પાર્ટીએ ૨૦૦૪માં કેન્દ્રમાં સત્તા ગુમાવી તેનો વસવસો અને ગમગીની હજુ પણ અનુભવી રહી હોય તેવું લાગે છે.
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભાજપ હંમેશા પહેલાં વિરોધ અને પછી થાકી હારીને વખાણ કરવાની માનસિકતા ધરાવે છે તે આજે આ પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાં થયેલાં પ્રવચનોમાંથી સ્પષ્ટ થયું છે. આ સંદર્ભમાં તેમણે એવો આક્ષેપ કર્યો કે, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે વર્ષો સુધી મહાત્મા ગાંધીની વિચારસરણીનો કટ્ટર વિરોધ કર્યો છે. હવે જ્યારે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે એટલે દિલ્હીની ગાદી મેળવવા હવે ભાજપ મજબૂરીમાં મહાત્મા ગાંધીને યાદ કરી રહ્યું છે.
'ભાજપ ખરેખર કઈ વિચારધારા પર આગળ વધવા માંગે છે તેનો પાર્ટીએ જવાબ આપવો જોઈએ,’ તેમ તેમણે ઉમેર્યું હતું. ભાજપની કારોબારની મોદીના સંબોધનના સંદર્ભમાં મનીષ દોશીએ કહ્યું હતું કે, પોતાના વક્તવ્યમાં દેશમાં શિક્ષણ અને ટેકનોલોજી અંગે ભાષણ આપનારા મુખ્યમંત્રીએ તેમના ૧૩ વર્ષના શાસનની વાસ્તવિકતા લોકો સમક્ષ રજૂ કરવી જોઈએ. આ સમયમાં રાજ્ય શિક્ષણના ક્ષેત્રે ૨૮મા ક્રમે ધકેલાઈ ગયું, ૨૬માંથી ૨૦ જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે, ૧૬ સરકારી એન્જિનિયરિંગ અને ૨૬ પોલીટેકનિક કોલેજોમાંથી માત્ર ૭માં જ કાયમી આચાર્ય હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે પણ રાજ્યમાં પ્રવર્તતી સ્થિતિ વિષે કહેતા તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં કેન્દ્ર સરકારે એક આઈઆઈટી, એક આઈઆઈઆઈટી અને એક સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના કરી હોવા છતાં રાજ્ય સરકારે આજદિન સુધી આઈઆઈટી અને સેન્ટ્રલ યુનિવર્સિટી માટે જમીન ફાળવી નથી અને આઈઆઈઆઈટી તો ભાડાના મકાનમાં ચાલે છે.
દેશમાં વિકાસની વાતો, ઘરઆંગણે તારાજી
વડાપ્રધાનપદના ઉમેદવાર મોદી પોતાના પ્રવચનમાં વિકાસની ગુલબાંગો પોકારે છે પરંતુ ગુજરાતમાં લાખો લોકોને રોજગારીની ક્ષમતા ધરાવતા નાના ઉદ્યોગોની કેવી તારાજી થઈ છે તે કેમ બોલતા નથી તેવો સવાલ કરતાં કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં ઈન્ફોસિટી-જીઆઈડીસીના માળખાને તોડી પાડવા માટે ભાજપ સરકાર જવાબદાર છે. અત્યંત મહત્ત્વાકાંક્ષી ઈન્ફોસિટી પ્રોજેક્ટ આજે શોપિંગ સેન્ટરમાં ફેરવાઈ ગયો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
પહેલાં ટીકા અને પછી વખાણ
ભાજપ હંમેશાં પહેલાં ટીકા અને વિરોધ તથા તે જ મુદ્દે પછી વખાણ કરવાની વૃત્તિ ધરાવતો હોવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસે કહ્યું હતું કે, પહેલાં ઈન્દિરા ગાંધીની આકરી ટીકા કરનારા ભાજપના જ વરિષ્ઠ નેતા અટલજીએ પાકિસ્તાન સામેના યુદ્ધમાં દેશનો વિજય થતાં સંસંદમાં ઈન્દિરા ગાંધીને દુર્ગા સ્વરૂપ કહ્યાં હતાં. રાજીવ ગાંધીએ ટેકનોલોજી ક્રાન્તિ દ્વારા નવા ભારત નિર્માણનો પાયો નાંખ્યો ત્યારે તેનો ઉગ્ર વિરોધ કરનાર ભાજપ હવે એ જ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ચૂંટણીઓ જીતવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
-મોદીએ રાષ્ટ્રીય કારોબારીમાં કરેલા સંબોધનની કોંગ્રેસે ટીકા કરી
-ગાંધી, મહાવીર, બુદ્ધની અહિંસા તરફ વિચારવા ભાજપ મજબૂર થયાનો આક્ષેપ
ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પક્ષની રાષ્ટ્રીય કારોબારીને કરેલા સંબોધનની આકરી ટીકાઓ કરતાં પ્રદેશ કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે, મોદી સહિતના ભાજપના નેતાઓએ જે સંબોધનો કર્યા તેમાં આ પાર્ટીએ ૨૦૦૪માં કેન્દ્રમાં સત્તા ગુમાવી તેનો વસવસો અને ગમગીની હજુ પણ અનુભવી રહી હોય તેવું લાગે છે.
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભાજપ હંમેશા પહેલાં વિરોધ અને પછી થાકી હારીને વખાણ કરવાની માનસિકતા ધરાવે છે તે આજે આ પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાં થયેલાં પ્રવચનોમાંથી સ્પષ્ટ થયું છે. આ સંદર્ભમાં તેમણે એવો આક્ષેપ કર્યો કે, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે વર્ષો સુધી મહાત્મા ગાંધીની વિચારસરણીનો કટ્ટર વિરોધ કર્યો છે. હવે જ્યારે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે એટલે દિલ્હીની ગાદી મેળવવા હવે ભાજપ મજબૂરીમાં મહાત્મા ગાંધીને યાદ કરી રહ્યું છે.
'ભાજપ ખરેખર કઈ વિચારધારા પર આગળ વધવા માંગે છે તેનો પાર્ટીએ જવાબ આપવો જોઈએ,’ તેમ તેમણે ઉમેર્યું હતું. ભાજપની કારોબારની મોદીના સંબોધનના સંદર્ભમાં મનીષ દોશીએ કહ્યું હતું કે, પોતાના વક્તવ્યમાં દેશમાં શિક્ષણ અને ટેકનોલોજી અંગે ભાષણ આપનારા મુખ્યમંત્રીએ તેમના ૧૩ વર્ષના શાસનની વાસ્તવિકતા લોકો સમક્ષ રજૂ કરવી જોઈએ. આ સમયમાં રાજ્ય શિક્ષણના ક્ષેત્રે ૨૮મા ક્રમે ધકેલાઈ ગયું, ૨૬માંથી ૨૦ જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે, ૧૬ સરકારી એન્જિનિયરિંગ અને ૨૬ પોલીટેકનિક કોલેજોમાંથી માત્ર ૭માં જ કાયમી આચાર્ય હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે પણ રાજ્યમાં પ્રવર્તતી સ્થિતિ વિષે કહેતા તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં કેન્દ્ર સરકારે એક આઈઆઈટી, એક આઈઆઈઆઈટી અને એક સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના કરી હોવા છતાં રાજ્ય સરકારે આજદિન સુધી આઈઆઈટી અને સેન્ટ્રલ યુનિવર્સિટી માટે જમીન ફાળવી નથી અને આઈઆઈઆઈટી તો ભાડાના મકાનમાં ચાલે છે.
દેશમાં વિકાસની વાતો, ઘરઆંગણે તારાજી
વડાપ્રધાનપદના ઉમેદવાર મોદી પોતાના પ્રવચનમાં વિકાસની ગુલબાંગો પોકારે છે પરંતુ ગુજરાતમાં લાખો લોકોને રોજગારીની ક્ષમતા ધરાવતા નાના ઉદ્યોગોની કેવી તારાજી થઈ છે તે કેમ બોલતા નથી તેવો સવાલ કરતાં કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં ઈન્ફોસિટી-જીઆઈડીસીના માળખાને તોડી પાડવા માટે ભાજપ સરકાર જવાબદાર છે. અત્યંત મહત્ત્વાકાંક્ષી ઈન્ફોસિટી પ્રોજેક્ટ આજે શોપિંગ સેન્ટરમાં ફેરવાઈ ગયો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
પહેલાં ટીકા અને પછી વખાણ
ભાજપ હંમેશાં પહેલાં ટીકા અને વિરોધ તથા તે જ મુદ્દે પછી વખાણ કરવાની વૃત્તિ ધરાવતો હોવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસે કહ્યું હતું કે, પહેલાં ઈન્દિરા ગાંધીની આકરી ટીકા કરનારા ભાજપના જ વરિષ્ઠ નેતા અટલજીએ પાકિસ્તાન સામેના યુદ્ધમાં દેશનો વિજય થતાં સંસંદમાં ઈન્દિરા ગાંધીને દુર્ગા સ્વરૂપ કહ્યાં હતાં. રાજીવ ગાંધીએ ટેકનોલોજી ક્રાન્તિ દ્વારા નવા ભારત નિર્માણનો પાયો નાંખ્યો ત્યારે તેનો ઉગ્ર વિરોધ કરનાર ભાજપ હવે એ જ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ચૂંટણીઓ જીતવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
No comments:
Post a Comment