Friday, 17 January 2014

‘ગુજરાતમાં તાનાશાહની સરકાર,’ ‘આપ’નો ‘કોમન મેન’ પર વાર..-'અમને લોકસભાની ચૂંટણીમાં અકલ્પનીય સફળતા મળશે’

-મુલાકાત;ગુજરાતમાં તાનાશાહની સરકાર છે : સંજયસિંહ
-'અમને લોકસભાની ચૂંટણીમાં અકલ્પનીય સફળતા મળશે’


બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય સંજયસિંહે 'દિવ્ય ભાસ્કર’ સાથેની ખાસ મુલાકાતમાં ગુજરાત અને દેશમાં પાર્ટીની રણનીતિ કેવી રહેશે તે અંગે ચર્ચા કરી.

ગુજરાતમાં પગ જમાવવા માટે કેવી રણનીતિ?
લોકોનો સાથ મેળવવો એ મોટી રણનીતિ રહેશે. ગુજરાતમાં ૧૨ વર્ષથી પાર્ટીનું નહિ‌, પરંતુ 'મોદીનું રાજ’ ચાલે છે. શાસનમાં સામૂહિ‌ક ભાગીદારીનો અભાવ છે. તમામ અધિકાર મોદી કેન્દ્રિ‌ત છે. ૯ વર્ષે સાવ લૂલા લોકાયુક્તની નિયુક્તિ થઈ છે. સરકારનું આ વલણ તેની તાનાશાહી વૃત્તિ દર્શાવે છે.?

‘ગુજરાતમાં તાનાશાહની સરકાર,’ ‘આપ’નો ‘કોમન મેન’ પર વાર
ગુજરાતમાં કેવો પ્રતિસાદ છે? શું તૈયારી છે?
ખૂબ જ સારો. અત્યાર સુધીમાં પાંચ લાખ સભ્ય નોંધાયા છે. રોજ હજારોની સંખ્યામાં સ્વયંભૂ લોકો જોડાઈ રહ્યા છે. લોકસભા ચૂંટણી લડવા ગુજરાતમાંથી અત્યાર સુધીમાં ૩૩ લોકોએ ઉમેદવારીપત્ર ભર્યા છે. જિલ્લા અને તાલુકા સ્તર સુધીનું સંગઠન ઊભું થઈ ગયું છે.

ગુજરાતમાં ક્યા મુદ્દા ઉઠાવશો?
મોદી સરકાર આમ આદમીની નહિ‌, પરંતુ ઉદ્યોગપતિઓની સરકાર છે. ગૌચરની જમીનોના ભોગે, ખેડૂતોના ભોગે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવાય છે. મોદી સરકાર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. સરકાર પર ૧.૪૦ લાખ કરોડનું દેવું છે. કાનૂન વ્યવસ્થા પડી ભાંગી છે. હું માનું છું કે આ તમામ મુદ્દા પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ છે.


‘ગુજરાતમાં તાનાશાહની સરકાર,’ ‘આપ’નો ‘કોમન મેન’ પર વાર 
બિન્નીના બળવા અંગે શું કહેશો?
વિનોદકુમાર બિન્નીને કારણ બતાવ નોટિસ મોકલાઈ છે. 'આપ’એ ૧પ દિવસની સરકારમાં જ છ વચન પૂરાં કર્યાં છે. દેશમાં કઈ સરકારે આટલા ટૂંકા ગાળામાં આટલાં વચનો પૂરાં કર્યાં છે એ બિન્નીએ પણ વિચારવું જોઈએ. જનલોકપાલ પર પણ કામ થઈ રહ્યું છે જે જલદીથી પૂરું કરી દેવાશે. ગેરશિસ્તને સહન નહીં કરાય. જોકે એ પણ
સમજવા જેવું છે કે શું અન્ય પક્ષો કોઈને હાથો તો નથી બનાવી રહ્યાને?

'આપ’ પર કંઈક વધારે જ વોચ રખાય છે?
ત્રણ રાજ્યમાં નવી બનેલી ભાજપ સરકારનું પણ મૂલ્યાંકન થવું જોઈએ. 'આપ’ને નિશાન બનાવી કરાતી ટિપ્પણી રાજનીતિથી પ્રેરિત લાગે છે.
‘ગુજરાતમાં તાનાશાહની સરકાર,’ ‘આપ’નો ‘કોમન મેન’ પર વાર 
લોકસભા માટે કેટલા ઉમેદવારીપત્ર આવ્યા છે?
૧પ૦ લોકસભાની બેઠકો માટે ૧૮૦૦ લોકોએ ઉમેદવારીપત્ર ભર્યા છે, જેની ચકાસણી ચાલે છે. ઉમેદવારોની પહેલી યાદીની ઘોષણા ૨પ જાન્યુઆરીની આસપાસ કરાશે.
‘ગુજરાતમાં તાનાશાહની સરકાર,’ ‘આપ’નો ‘કોમન મેન’ પર વાર

No comments:

Post a Comment