Friday, 17 January 2014

જંતર-મંતર ખાતે 'આપે' યોજી ધન્યવાદ રેલી

વારંવાર જોડતોડ કરનાર ભાજપ એટલે સો ચૂહે માર કર હજ કો ચલી બિલ્લી 
 
આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કરેલા શાનદાર પ્રદર્શન બાદ બુધવારે જંતર-મંતર મેદાન ખાતે ધન્યવાદ રેલીનું આયોજન કર્યુ હતું. જેમાં કુમાર વિશ્વાસે કોંગ્રેસ અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. વિશ્વાસે મંચ પરથી તેમણે દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિત પર વાકપ્રહાર કર્યા તો, સાથે જ ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીને દિલ્હીમાં કોઈ પણ જગ્યાએથી ચૂંટણી લડવા પડકાર ફેંક્યો છે. આ રેલીમાં પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ કહ્યુ કે આગામી લોકસભા ચૂંટણીમાં કુમાર વિશ્વાસ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે ચૂંટણી લડશે. રેલી દરમિયાન કુમાર વિશ્વાસે કહ્યું કે સલમાન ખુર્શીદે અમને ગટરના કીડા કહ્યા હતા, જ્યારે શીલા દીક્ષિતે મોસમી કીડા કહ્યા હતા.

 

No comments:

Post a Comment