Monday, 20 January 2014

મોદી સરકાર ગુજરાતની જનતાનું ભલું ઈચ્છતા હોય તો અદાણી અને ટોરેન્ટની પાસેથી મોંઘી વીજળી ખરીદવાને બદલે નેશનલ ગ્રીડમાંથી મળતી સસ્તા દરની વીજળી ખરીદવી જોઈએ.

-ગુજરાતમાં 'આપ’ની પહેલી જનસભા
-મોદી વીજ કંપનીઓનું ઓડિટ કરાવે: સંજયસિંહ
-લોકાયુક્તની નિમણુક સામેની લડત પાછળ રૂ. પપ કરોડનું આંધણ કર્યાનો 'આપ’નો આરોપ


આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં યોજાયેલી પહેલી જનસભાને અમરાઈવાડી ખાતે સંબોધતા પાર્ટીના રાષ્ટ્રીય નેતા સંજયસિંહે ભાજપ અને કોંગ્રેસને ભ્રષ્ટાચારના મામલે સમાન ગણાવ્યા છે. કોલગેટ કૌભાંડમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કોલસાના બ્લોક ધરાવતી કંપનીઓ પાસેથી ભંડોળ મેળવ્યું હોવાનો આરોપ કરતા સંજયસિંહે જણાવ્યું હતું કે 'ભ્રષ્ટાચારના મામલે બન્ને પક્ષો એકબીજાની સ્પર્ધા કરી રહ્યા છે.

જો મોદી ખરેખર ભ્રષ્ટાચારનો વિરોધ કરતા હોય તો ગુજરાતમાં ખાનગી વીજ કંપનીઓનું ઓડિટ કરાવવાની હિંમત દેખાડે’. લોકાયુક્તના મામલે સુપ્રીમ ર્કોટ સુધી લડેલી મોદી સરકારે વકીલો પાછળ આમ આદમીના રૂ. પપ કરોડનું આંધણ કર્યું હોવાનો સંજયસિંહે આરોપ લગાવ્યો છે.
મોદી કરાવે ગુજરાતમાં 'દિલ્હીવાળી', ‘આમ આદમી’ની માગ
સંજયસિંહે જણાવ્યું હતું કે મોદી જો ખરેખર દેશને કોંગ્રેસ મુક્ત કરવા માગતા હોય તો તેમણે રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી બતાવવી જોઈએ. મોદી સરકાર ગુજરાતની જનતાનું ભલું ઈચ્છતા હોય તો અદાણી અને ટોરેન્ટની પાસેથી મોંઘી વીજળી ખરીદવાને બદલે નેશનલ ગ્રીડમાંથી મળતી સસ્તા દરની વીજળી ખરીદવી જોઈએ.
ભાજપમાંથી 'આપ’માં જોડાયેલા કનુભાઈ કલસરિયાએ કહ્યું હતું કે 'હું જ્યારે હું ભાજપમાં ઊંડો ઊતર્યો ત્યારે ખબર પડી કે અંદર તો મોટો સડો છે. માટે મેં ભાજપ છોડી દીધી.’

મોદી કરાવે ગુજરાતમાં 'દિલ્હીવાળી', ‘આમ આદમી’ની માગ

No comments:

Post a Comment